bhavnagarBreaking NewsGujarat

ઘોઘામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો વિતરણ કરાયા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.જેને ભાવનગર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.ત્યારે આજરોજ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામા ગ્રામજનો દ્વારા રથ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો અંગે ગ્રામજનોને વિગતે માહિતી પુરી પાડી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળનું આયુષ્માન કાર્ડ,સોઇલ હેલ્થ કાર્ડ, પી.જી.વી.સી.એલ.સહિતની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.ગ્રામજનોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

આ ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની, મેરી ઝુબાની થીમ હેઠળ  પોતાને મળેલ યોજનાકીય લાભો વિશેના લાભાર્થીઓએ પ્રતિભાવો રજૂ કર્યા હતા.ઉપરાંત ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફીલ્મ પણ નીહાળી હતી.

આ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજુ કરવામાં આવ્યું હતું.પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે નાટક રજુ થતા ઉપસ્થિત સૌ બાળકલાકારોની પ્રતિભાથી રોમાંચિત થયા હતા.

આ કાર્યક્રમમાં પદાધિકારીઓ,ઘોઘા ટીડીઓશ્રી,મામલતદારશ્રી,સરપંચશ્રીઓ સહિત શાળાના શિક્ષકગણ અને ગામના સ્થાનિક આગેવાનો,લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મંદિર અને દેરાસરમાં લોકો ભગવાન શોધે, પણ ભગવાન તો જીવદયા હોસ્પિટલમાં વસે છે : ઈન્દ્રસેનસૂરિ મહારાજ

અબોલ જીવની સેવા કરતી જીવદયા હોસ્પિટલ અગિયાળી ખાતે ઈન્દ્રસેનસૂરિ મહારાજે મુલાકાત…

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખેડૂતોને સસ્તી અને સરળ લોન અંગેનો વેબીનાર યોજાયો.

ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા અને લીડ બેન્ક દ્વારા ખેડૂતોને…

1 of 365

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *