bhavnagarEducationGujarat

ભાવનગરમાં પ્રોજેક્ટ પા પા પગલી અંતર્ગત શિક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમ યોજાયો

ભાવનગરના અધેવાડા શિવકુંજ આશ્રમ ખાતે તા: ૦૬/૦૩/૨૦૨૪ ને બુધવારના રોજ પા પા પગલી અંતગૅત જિલ્લાકક્ષાના શીક્ષણની વાત,વાલીઓ સાથેનો સંવાદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

બાળકના જીવનમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણનું મહત્વ અને જાગૃતિ કેળવવા અંગે વાર્તાલાપ કરવામાં આવ્યું હતું તેમજ વાલીને ડેવલોપમેન્ટ અસેસમેન્ટ ટૂલના આધારે બાળ પ્રવૃતિ થી પ્રગતિ અંતર્ગત પોતાના બાળકોની પ્રગતિ કેવી રીતે થાય તેના વિષે વાત કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં પ્રિ-સ્કૂલ ઇન્સ્ટ્રકટર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારીત વેસ્ટ માંથી બેસ્ટ TLM બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.તેમજ આંગણવાડીના નાના-નાના ભુલકાઓએ આ કાર્યક્રમમાં વિવિધ અભિનય ગીતો રજૂ કરી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહિત ઈનામ પણ આપવામાં આવ્યા હતા.તેમજ મહેમાનો દ્વારા બાળકોને પ્રથમ,દ્વિતીય, અને તૃતીય નંબર અને પ્રમાણપત્ર આપીને સન્માનીત કરવામાં આવ્યાં હતા.

આ પ્રસંગે માન સાસંદશ્રી ભારતીબેન શિયાળ જિલ્લા કલેકટર શ્રી આર.કે.મહેતા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ.સોલંકી,મહિલા અને બાળ વિકાસ ચેરમેનશ્રી,ભાવનગર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી,મહિલા મોરચાના પ્રમુખશ્રી તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમગ્ર મેળાનું પ્રોગ્રામ ઓફિસરશ્રી શારદાગૌરી સી દેસાઈના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

‘મારે દુનિયાના પ્રવાસીઓને જુનાગઢ લાવવા છે’: સૌરાષ્ટ્રના વિકાસન લઈને પીએમ મોદીનું મહત્વકાંક્ષી સંબોધન

જુનાગઢ લોકસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા પીએમ મોદીએ શહેરના એગ્રિકલ્ચર…

1 of 42

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *