Latest

બોટાદના ગઢડામાં સંસ્કૃતિ ઉજાગર કરતા દ્વારકાના આહિરાણી મહા રાસ માટે થનગનાટ.

ગઢડા તાલુકાના આહીર સમાજની બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજજ બની જિલ્લાનાં ધાર્મિક સ્થળોએ નિમંત્રણ પાઠવ્યા, ગઢડા, પાળીયાદ, સાળંગપુર રાસ લઈને પાઠવ્યું નિમંત્રણ.

ભારત દેશની ધાર્મિક અને સામાજિક સંસ્કૃતિ પરંપરાને ઉજાગર કરતા ગરબાની વિશ્વભરમાં સ્વીકૃતિ સાથે ગૌરવવંતુ સ્થાન મળ્યું છે. આપણી રાસ ગરબાની પરંપરાને વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ કરવા માટે આગામી 23-24 ડિસેમ્બરે દ્વારકા ખાતે એકિસાથે 37 હજાર આહિરાણી બહેનોનો મહારાસ યોજાવાનો છે

જે મહા રાસ મહોત્સવ ને ચાર ચાંદ લાગે તે માટે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના આહિરાણી બહેનો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને બોટાદ જિલ્લાના ગઢડા મચ્છુ માતાજી મંદિર, પાળીયાદ વિહળાનાથની જગ્યામાં અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે રાસ ગરબા લઈને આમંત્રણ પાઠવવામાંઆવ્યુ હતું.

દ્વારકામાં આગામી 23 – 24 ડિસેમ્બરે આહિરાણી બહેનો નો મહા રાસ યોજાવાનો છે જેમા 37 હજાર આહિરાણી બહેનો એકજ સ્થળે મહારાસ યોજી રેકોર્ડ સ્થાપવા જઈ રહ્યા છે ત્યારે વિશાળ પ્લેટફોર્મ ઉપરથી રજૂ થનારા મહા રાસ માટે બોટાદ જિલ્લામાં પણ ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

દ્વારકા ખાતે યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમની પૂર્વ તૈયારી સ્વરૂપે ગઢડા તાલુકામાંથી આહીર સમાજની બહેનો દ્વારા પોતાના પરંપરાગત પોષાક સાથે બોટાદ જીલ્લા મા આવેલા મચ્છુમા મંદિર ગઢડા, વિસામણબાપુની જગ્યા પાળીયાદ અને સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરેઆમ જિલ્લાના મહત્વપૂર્ણ ધાર્મિક સ્થાનો ઉપર પહોચી પરંપરાગત રાસ ગરબા યોજી દ્વારકામાં યોજાનાર આહિરાણી મહારાસ કાર્યક્રમ માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ તેમ આહિર સમાજના છાયાબેન આહિરે મીડીયાને માહિતી આપી હતી.

રિપોટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *