Latest

આવાસયોજના કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરનાર ભાજપ કોર્પોરેટર પતિ સામે કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરતા મહેશભાઈ રાજપુત.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના વર્કિંગ ચેરમેન મહેશભાઈ રાજપુત જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવાસયોજના માં કવાટર ફાળવવા માટે જે ડ્રો કરવામાં આવ્યો છે એ ડ્રો માં ભાજપ કોર્પોરેટર ના પતિ દ્વારા કવાટર ફાળવણી કરવામાં ગોલમાલ કરી પોતાના સગાંવહાલાં અને મળતીયાઓ ને ફાળવણી કરાવેલ છે.

જે મીડિયા દ્વારા કૌભાંડ ઉજાગર કરવામાં આવેલ છે તે બદલ અમો અભિનંદન પાઠવીએ છીએ. અને આ કૌભાંડ પરત્વે જે જે અને જેટલા ભાજપ પક્ષના આગેવાનો ની સંડોવણી સામેલ હોય તેની સામે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર ફરિયાદી બની આ ગોલમાલ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી કરવા તેમજ પોલીસ કમિશનર શ્રી પણ આ કૌભાંડ પરત્વે ડાયરેકટ પ્રાથમિક તપાસ પ્રક્રિયા શરૂ કરાવી લગત પોલીસ ઇન્સપેક્ટર શ્રી ને જવાબદારી સોંપવામાં આવે તેમજ આવા કૌભાંડ થઈ રહ્યા હોય ત્યારે પોલીસ કમિશનર શ્રી ફરિયાદી બની જનતાના હિતમાં કાનૂની કાર્યવાહી કરવામાંઆવે તેવી માંગ કરી છે. અને જો પોલીસ કમિશનર શ્રી કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ૪૮કલાકમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ નામદાર કોર્ટના દ્વારે ન્યાય માંગવા જશે તેવી મહેશભાઈ રાજપુત જણાવ્યું છે.

વધુ માં જણાવ્યું છે કેભાજપ ના રાજમાં હાલ બધું જ ડૂબલિકેટ અને નકલી ઝડપાઇ રહ્યું છે જેમાં નકલી કચેરી, નકલી ટોલનાકા, નકલી પોલીસ આમ અત્ર તત્ર સર્વત્ર ભાજપના રાજ માં બધું જ નકલી ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખ આ કૌભાંડમાં શુ પગલાં લેશે તે જોવાનું બાકી તો આમાં કષા જ પગલાં નહિ લેવાય તેવી સામાન્ય જનતા ને પણ ખબર છે. ઉક્ત બાબતે આવાસયોજના માં ડ્રો માં ગોલમાલ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી વિભાગ વર્કિંગ ચેરમેન ડો.મહેશભાઈ રાજપુત દ્વારા માંગ કરેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *