Latest

અક્ષરવાડીમાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવની ઉજવણી..

ભગવાન શ્રી રામના જન્મ સ્થાન અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજવાના હોય ભગવાન શ્રી રામ પ્રભુની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ભવ્યાતીભવ્ય રીતે સંપન્ન થઈ.

શહેરના અક્ષરવાડી રોડ સ્થિત બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરે તારીખ ૨૨ સોમવાર ના રોજ પ્રતિષ્ઠા નિમિતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અક્ષરવાડી મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી રામ, માતા સીતાજી તથા હનુમાનજી સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. અક્ષરવાડી ખાતે સોમવારે સવારે 10:30 થી બે મોટા led સ્ક્રિન પર પ્રતિષ્ઠા વિધિનું જીવંત પ્રસારણ દર્શાવવામાં આવ્યું.

મંદિરના તમામ સંતો તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તો ભાવિકો એ સમૂહ આરતીનો પણ લાભ પ્રાપ્ત કર્યો. સમગ્ર ઉત્સવ દીપી ઉઠે તે રીતે પુરા અક્ષરવાડી પરિસરને દૈદીપ્યમાન રોશનીની સજાવવામાં આવ્યું છે.

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર હરિભક્તોએ પોતપોતાના ઘરે અને કામના સ્થળે રોશની, પૂજન, તોરણ, રંગોળી, શણગાર કરી ઉત્સાહ પૂર્વક ઉજવણી કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *