Latest

ગબ્બર કાળભૈરવ મંદિર ખાતે ભૈરવ જયંતી ધામધૂમથી ઉજવાઇ

શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ મંદિર ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે.

યાત્રાધામ અંબાજીમાં મા અંબાના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે. પાંચ ડિસેમ્બરના રોજ અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર આવેલા ગબ્બર પર્વતની તળેટીમાં ભૈરવજીનું મંદિર પ્રાચીન અને પૌરાણિક આવેલું છે મંગળવારે ભૈરવ જયંતી નિમિત્તે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરાઈ હતી.

અંબાજી થી ત્રણ કિલોમીટર દૂર મા અંબાનુ મૂળ સ્થાનક ગબ્બર પર્વત આવેલ છે. ગબ્બર પર્વત તળેટીમાં પ્રાચીન અને પૌરાણિક નિરંજની અખાડા નુ કાળ ભૈરવ મંદિર આવેલું છે. આ મંદિર માં માતાજીની ગાદી પણ આવેલી છે. ભક્તો દૂર દૂરથી માતાજીના દર્શન કરવા ગબ્બર પર્વત પર આવે છે પણ ગબ્બર પર્વતના દર્શન કર્યા બાદ ભૈરવના દર્શન કર્યા વગર યાત્રા અધુરી રહે છે.

એટલે ગબ્બર આવતા માઈ ભક્તો ભૈરવજીના અચુક દર્શન કરે છે. મંગળવારે પાંચ ડિસેમ્બરના રોજ ગબ્બર કાલભૈરવ મંદિર ખાતે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે હવન કરાયું હતું. મંદિરના મહંત પૂર્ણાનંદ ગીરી બાપુ ખાસ હાજર રહ્યા હતા. હવન બાદ દરેક ભક્તોને ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *