Latest

ધારાસભ્યહાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરને મળી મહત્વની વિકાસ ભેટ

સંજીવ રાજપૂત, એબીએનએસ, અમદાવાદ: ગામનો છોકરો, કામનો છોકરોના સૂત્રને વારંવાર સાર્થક કરતા ધારાસભ્યશ્રી હાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિરમગામમાં વસતા લોકોની વાંચન ભૂખ સંતોષવા ગ્રંથાલય-લાઇબ્રેરી નિર્માણ માટે કુલ ૩ કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશનના કામ માટે રૂ. ૬.૪૨ કરોડ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા ૯.૪૨ કરોડના વિશેષ કામો વિરમગામ માટે મંજૂર કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય હાર્દિક પટેલના પ્રયાસોથી વિરમગામ શહેરમાં રૂપિયા ૩ કરોડની અત્યંત આધુનિક લાઈબ્રેરી બનશે તેમજ ઝાલાવાડી સોસાયટી પાછળ આવેલા તળાવના બ્યુટીફિકેશન માટે રાજ્ય સરકારે ૬.૪૨ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

વિરમગામ શહેરમાં લાઇબ્રેરી બનવાથી સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનોને વાંચવાની શ્રેષ્ઠ તક મળશે. પંચમુખી હનુમાન ચોકડી આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ સોસાયટી બનેલ છે, આ વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા માટે ૬.૪૨ કરોડના ખર્ચ તળાવનો વિકાસ કરવામાં આવશે.

આમ, ધારાસભ્ય હાર્દિક પટેલ સતત વિકાસના કામો મંજૂર કરાવી રહ્યા છે. આ સમગ્રતયા નગરપાલિકાના વિસ્તારની શહેરી સુખાકારીમાં વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધાઓ મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંચન પ્રવૃત્તિનો પણ વ્યાપ વધારવાનો સર્વગ્રાહી શહેરી જન જીવન સુખાકારીનો અભિગમ અપનાવ્યો છે.

આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓમાં બાગ-બગીચા વિકસાવી સીટી બ્યુટીફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તેવા અભિગમ આ યોજનામાં અભિપ્રેત છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *