Latest

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

અમરેલી થી વિસાવદર બ્રોડગેજ મુદ્દે રેલ્વે મંત્રી ને પત્ર લખી ઉચ્ચ રજુઆત કરી

અમરેલી થી વિસાવદર સુધી બ્રોડગેજ સુવિધા માટે ધારી પત્રકાર સંધ દ્વારા જે બિનરાજકીય મિશન શરૂ કરેલ છે ત્યારે ધારી ૯૪ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જે.વી કાકડીયા એ પણ આ વ્યાજબી માંગ ને સંપૂર્ણ ટેકો આપેલો છે .

આ સાથેજ માનનીય ધારાસભ્ય કાકડીયા એ લોકોના હીત માટે, મુસાફર જનતા ની સવલતો અને સલામતી માટે ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ અને સહી અભિયાન હાથ ધર્યું છે તેના પણ વખાણ કરેલા હતા અને આ વ્યાજબી માંગ અંતર્ગત રેલ્વે મંત્રી, ઉચ્ચ અધિકારીઓને એક રજુઆત પણ કરીને વહેલાં માં વહેલી તકે અમરેલી ચલાલા ધારી અને વિસાવદર ને જોડતી મીટર ગેજ ટ્રેન ને બ્રોડગેજ માં રૂપાંતર કરવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે આજના આધુનિક અદ્યતન સમયમાં દેશના દરેક નાના મોટા શહેરો સાથે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળશે એ સાથેજ જો અમરેલી થી વિસાવદર – જુનાગઢ – સોમનાથ જેવા શહેરો ને પણ બ્રોડગેજ સુવિધા સાથે જોડવામાં આવે તો સૌરાષ્ટ્રના પવિત્ર ધાર્મિક સ્થળો અને ફરવાલાયક સ્થળો ખાતે આવતા પ્રવાસીઓ પણ રેલ્વેના માધ્યમથી પોતાનો પ્રવાસ કરી શકે છે.

ધારી પત્રકાર સંઘ દ્વારા જનજાગૃતિ માટે સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી ત્યારે ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પણ અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લાના સાંસદ સભ્ય અને ધારાસભ્યો પ્રજાના હિત માટે અસરકારક રજુઆત કરી આ યોગ્ય માંગ રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, રેલ્વે વિભાગ સ્વિકારાશે તેવી આશા વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 141

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *